state bank of india stock (SBI)- નવા વર્ષમાં રોકાણકારોનો એસબીઆઈ શેરમાં આશાવાદ યથાવત

દુનિયાની સૌથી મોટી પબ્લિક સેકટર બેંકોમાંની એક એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના શેર છેલ્લા કેટલાંક વર્ષોથી તેના હકારાત્મક પરફોર્મન્સ દ્વાર રોકાણકારોને આકર્ષી રહ્યા છે.

 

પાછલાં કેટલાંક વર્ષોના state bank of india stock  એટલે કે SBI ના શેરના શેરબજારના વળતરને જોતા નવા વર્ષમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નવી ફિક્સ ડિપોઝીટ અથવા નવી SIP કરવા કરતાં State Bank of India stock (SBI) માં કરેલું રોકાણ વધારે સારું સાબિત થઈ શકે છે.

બેંકની FD (ફિક્સ્ડ ડિપોઝિટ) 1 વર્ષમાં 7% આસપાસ વ્યાજ આપતી હોય છે, જ્યારે ડીમેટ એકાઉન્ટ દ્વારા સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના શેરમાં કરેલા રોકાણને છેલ્લા એક મહિનામાં 12% જેટલું વળતર મળ્યું છે. State Bank of India stock ની એટલે કે એસબીઆઈ બેંકના લિસ્ટેડ શેરની કિંમત ₹650 આસપાસ છે.

છેલ્લાં 5 એક વર્ષમાં state bank of india stock(શેર)ની કિંમત બમણાથી વધુ થઈ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કરોડો લોકો મ્યુચ્યુઅલ ફંડ અથવા SIP ના માધ્યમથી રોકાણ કરે છે. આ માધ્યમોથી કરેલા રોકાણના પૈસા મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ દ્વારા પણ શેરબજારમાં જ રોકવામાં આવે છે.

આમ, અહીંયા રોકાણકારોના મનમાં એક સરળ સવાલ સ્પષ્ટપણે ઊભો થાય છે કે, જ્યારે State Bank of India (SBI) ના stock જ ખૂબ સારું વળતર આપી રહ્યા છે તો તેવા સમયે એસબીઆઈ (SBI)માં ફિક્સડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ કે એસાઇપી (SIP) માં રોકાણ કરવું હિતાવહ છે કે State Bank of India (SBI) stock માં એટલે કે એસબીઆઈના લિસ્ટેડ શેરમાં રોકાણ કરવું જોઈએ ?

State Bank of India (SBI) stock છેલ્લા 5 વર્ષમાં 115.59% વળતર આપી ચૂક્યા છે. આવનારા સમયમાં પણ બેંકના ગ્રોથને જોતા શેરની મૂવમેન્ટ હકારાત્મક રહી શકે છે.

આ અંદાજને બેંકની એકદમ મજબૂત બેલેન્સ શીટ, કેપિટલાઇઝેશન, લાયેબિલિટી ફ્રેન્ચાઇઝી, એસેટ ક્વોલિટી અને આઉટલુક સહિતના તમામ મજબૂત પાસા ટેકો આપે છે.

ઘણા બ્રોકરેજ હાઉસે State Bank of India (SBI) ના stock માટે હકારાત્મક ભવિષ્યની આગાહી કરી છે. એસએમસી ગ્લોબલ, એક્સિસ સિક્યોરિટી, મોતીલાલ ઓસવાલ જેવા ઘણા બ્રોકરેજ હાઉસના મતાનુસાર

વર્ષ 2024માં State Bank of India (SBI) ના stock ની કિંમત ₹800 સુધી જઈ શકે છે. આ મુજબ, વર્ષ 2024માં આ શેરમાં 30% સુધીનું વળતર મળી શકે છે. જેના લીધે નવા અને અનુભવી રોકાણકારોમાં State Bank of India (SBI) ના stock માં હકારત્મક આશાવાદ જોવા મળી રહ્યો છે.

 

નોંધ :- લેખમાં દર્શાવવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચારો છે. શેર અંગેની બાબતો લેખકના અભ્યાસના આધારે લેખમાં દર્શાવામાં આવી છે. આ રોકાણ માટેની સલાહ કે સૂચન નથી. રોકાણકારે પોતાના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહના આધારે જ રોકાણ કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *